પોરબંદર
પોરબંદરની મુલાકાતે આવેલા એનઆરઆઈ પારુલબેન ઇશ્ર્વરભાઇ મેણંદભાઇ સીસોદીયા (ઉ.વ ૫૧, રહે. સ્વીડન)તેમના પતિ ઇશ્ર્વરભાઇનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦,૦૦૦/- નો કમલાબાગ બેંક ઓફ બરોડા થી જ્યુબેલી જનકપુરી સોસાયટી સુધી રીક્ષામાં બેસી જતી વખતે રીક્ષામાં જ પડી ગયેલ હોય જેથી નેત્રમ- કમાન્ડ & કંટ્રોલ સેન્ટર પોરબંદરનો સંપર્ક કરતા નેત્રમ ઈન્ચાર્જ પીએસઆઇ આર.ડી.ચૌહાણની સુચના મુજબ નેત્રમ શાખા સ્ટાફ દ્વારા અરજદારે વર્ણાવેલ રીક્ષાની માહીતી મુજબ જૂના ફૂવારા સર્કલ તથા રેલ્વે સ્ટેશન સર્કલ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા તે રીક્ષા પસાર થતી જોવા મળેલ છે જે રીક્ષાના રજીસ્ટર નંબર મેળવી રીક્ષા ચાલકનો સંપર્ક કરી અત્રે નેત્રમ શાખાએ રૂબરૂ બોલાવી નેત્રમશાખા સ્ટાફ દ્વારા અરજદારનો આઇફોન મોબાઇલ ફોન કિં.રૂ.૭૦૦૦૦/- ગણતરીની કલાકોમાં પરત મેળવી અરજદારને સોપેલ છે. જેથી અરજદારે નેત્રમ કમાંન્ડ & કંટ્રોલ ટીમ તથા પોરબંદર પોલીસનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
