Saturday June 21, 2025

પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતાં કુલ ૩.૯૦ લાખનો દંડ કરાયો

જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટરશ્રી પોરબંદરની કોર્ટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પ્રકારના ગુનાઓ અટકે તે માટે કડક કાર્યવાહી કરાઈ

પોરબંદર, તા.૧૨: પોરબંદર જિલ્લામાંથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો, મે. સંતોષી સેલ્સ એજન્સી કુતિયાણા ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પોરબંદર દ્વારા
લેવામાં આવેલ નમૂનાનું પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પોરબંદર જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટર શ્રી જે બી વદરની કોર્ટમાં એડજયુડીકેટીંગ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વિક્રેતા, ઉત્પાદક અને માર્કેટર પેઢીને કુલ ૩લાખ ૯૦હજારનો દંડ કરવામાં આવ્યો છે.

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ ના ધારા હેઠળ મે.પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો
સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જિલ્લા એડજયુડીકેટીંગ ઓફીસર અને અધિક નિવાસી કલેકટર શ્રી જે બી વદરએ મે.પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીની
વિક્રેતા પેઢી મે.સંતોષી સેલ્સ એજન્સી,કુતિયાણાને રૂા.૧૫,૦૦૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ
મે.પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીની માર્કેટર પેઢીના નોમીની તેમજ પેઢીને સંયુક્ત રીતે રૂા.૧,૫૦,૦૦૦ અને ઉત્પાદક પેઢીના નોમિની તેમજ ઉત્પાદક પેઢી મે.પતંજલિ ફૂડ્સ લીમિટેડને સંયુક્ત રીતે રૂા.૨,૨૫,૦૦૦નો દંડ કરવા આવ્યો છે.

ઉલ્લેખનીય છે. કે, વહીવટી તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ભેળસેળ કરતી પેઢીઓ ભવિષ્યમાં પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળથી લોકોનું આરોગ્ય જોખમાય તે પ્રકારના ગુન્હાઓનું પુનરાતવર્તન ન કરવા પ્રેરાય અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top