મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે
ઈશ્વરિયા, (મૂકેશ પંડિત)
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે.
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રનો ભાવિક સેવકોને લાભ મળનાર છે.
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી ગિરનારીબાપુનાં સ્મરણ સાથે મહંત શ્રી ગરીબરામબાપા અને વરતેજ શ્રી નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા થયેલ આ આયોજનમાં શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રમાં શ્રી હરસિદ્ધીજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. કથા પ્રારંભ મંગળવાર તા.૧૪ અને પૂર્ણાહુતિ સોમવાર તા.૨૦નાં થશે.
પ્રયાગરાજ તીર્થમાં મહાકુંભમેળા પ્રસંગે શ્રી જયદાસજીબાપુનાં સંકલન સાથે સેવક પરિવાર દ્વારા ભાવિક સેવકો માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
