Saturday June 21, 2025

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં

ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫
(મૂકેશ પંડિત)

સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં.

અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં શ્રી મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં આ ખાલસામાં મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં પીપાવાવ જગ્યાનાં મહંત મહેશદાસજી મહારાજ અને અન્ય સંતો અને સેવકો જોડાયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top