Friday June 20, 2025

બ્લોકને કારણે 25મી એપ્રિલની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ફરીથી બદલાયો

શંભુ સિંહ, ભાવનગર

નોર્થ ઈસ્ટર્ન રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઈનમાં ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન (19269) ફરીથી ડાયવર્ટ કરાયેલા રૂટથી દોડશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ-

25મી એપ્રિલ, 2025ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ લખનઈ-બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયહવા-નરકટિયાગંજ-મુજફ્ફરપુરને બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનઊ-મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જં.-વારાણસી-ઓંડ઼િહાર જં.-છપરા-મુઝફ્ફરપુર થઈને ચાલશે.

આ રૂટ ફેરફારને કારણે આ ટ્રેન ગોંડા, ગોરખપુર, સિસવા બાજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સાંગલી, બાપૂધામ મોતિહારી, ચકિયા અને મેહસી સ્ટેશનો પર રોકાશે નહીં.

આ ટ્રેનના સ્ટોપેજ, કોચ સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top