ભાવનગર
ડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન સહિત બાબા સાહેબની જીવની અંગેના પ્રચાર-પ્રસાર, સ્મૃતિ ચિહ્નો જેવા કાર્યો તેમજ બંધારણની ગરિમા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સંવિધાન ગૌરવ અભિયાનના ઇન્ચાર્જ હાર્દિકભાઈ વાઘેલા, સહ ઇન્ચાર્જ જીતુભાઇ બોરીસાગર, મહિલા મોરચા અધ્યક્ષ કોમલબેન માંગુકીયા, ભરતભાઇ દિહોરા, નલિનભાઈ પટેલ, અરવિંદભાઈ રાઠોડ, રંજનબેન પરમાર, શિલ્પાબેન દવે, યુવા મોરચાના શ્રી ભાવદીપસિંહ ગોહિલ, પીનાકીનભાઈ સોલંકી તેમજ ત્રણેય મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો આ છાત્રાવાસ ગોષ્ઠી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.




