Saturday June 21, 2025

ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાના માતાશ્રીનું અવસાન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ અર્પિ

ભાવનગરના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણાના માતુશ્રી તેમજ નિવૃત કસ્ટમ કલેક્ટર અને આર.એસ.એસ ના પૂર્વ વિભાગ કાર્યવાહ સ્વ. ઘનશ્યામસિંહજીના ધર્મપત્ની તેમજ ડો. સર્વદમનસિંહજીના દાદીમાં સ્વ. ચંદ્રાબા ઘનશ્યામસિંહજી રાણાનું તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થતાં, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, સંગઠનના પૂર્વ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પિ હતી, તેમજ મોટા ભાગનો ભાજપ પરિવાર, સંઘના સદસ્યો, શહેરના શ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ સર્વ જ્ઞાતિય અને સર્વ પક્ષીય આગેવાનો અને કાર્યકર્તાઓ સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં જોડાયા હતાં. સ્વર્ગસ્થનું બેસણું ૦૩-૦૩-૨૦૨૫ ના રોજ બપોરના ૨-૦૦ થી સાંજના ૭-૦૦ સુધી કાળિયાબીડના સપ્તપદી હોલ ખાતે રાખવામાં આવેલ છે, તેમ હરેશભાઇ પરમારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top