
સુમિત ઠક્કર, ભાવનગર
કોઈપણ સમયે કોઈપણને રક્તની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે દાનનો મહિમા હોય છે. બાબા સાહેબ આંબેડકર ની જ્યંતી નિમિતે ભાવનગરના જશોનાથ સર્કલમાં શહેરભરમાંથી લોકો બાબાની પ્રતિમાને અંજલિ આપવા આવે છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સંચાલિત ઉત્તમ એન ભુતા- રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા બ્લડ કલેક્શન અને મેડિકલ વેન માં રક્તદાન શિબિર નું આયોજન કરવા માં આવેલ સાથે અંગદાન જાગૃતિ માટે પત્રિકા વિતરણ અને સંકલ્પપત્ર ભરવા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યા માં લોકો જોડાયા હતા અને અંગદાન ની માહિતી મેળવી હતી તથા રક્તદાન પણ કર્યું હતું.