ભાવનગર
સુશાસન દિવસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ તથા ૨૦૨૫ પૂર્ણ વર્ષ”“સુશાસન દિવસ”ની ઉજવણી તથા “વીર બાલ દિવસ” ૨૬ ડિસેમ્બર ૨૦૨૪, રાષ્ટ્રીય દિવસ ઉજવણી અંગે જીલ્લા ભાજપા ભાવનગર અપેક્ષિત આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ અને ભારત સરકારે ૨૫ ડિસેમ્બર (અટલજી જન્મદિન)સુશાસન દિવસ તથા વીર બાલ દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરેલ છે. માન. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ગુરુ ગોવિંદસિંહ જીના પ્રકાશપર્વના અવસરે તા ૨૬ ડિસેમ્બરે દસમા શિખગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહજીની શહાદતની યાદમાં “વીર બાલ દિવસ”ઉજવવામાં આવશે એ અનુસંધાને ભાવનગર જીલ્લા ભાજપા અપેક્ષિત આગેવાનોની બેઠક જીલ્લાપ્રમુખ શ્રી આર.સી.મકવાણા, કેન્દ્રિય રાજ્યમંત્રી તથા સાંસદ શ્રીમતિ નીમુબેન બાંભણીય, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઈ હુંબલ, વીર બાલ દિવસના સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જશ્રી કશ્યપભાઈ શુક્લ, જીલ્લા ભાજપા પ્રભારીશ્રી બ્રિજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં જીલ્લા અગ્રણીઓ, ધારાસભ્યશ્રીઓ, મંડલ પ્રમુખ – મહામંત્રીઓ, જીલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ઉપસ્થિત રહેશે. જેમાં ૨૫ ડિસેમ્બર અટલજી, જન્મદિન સુશાસન દિવસ, ૨૬ ડિસેમ્બર ગુરુ ગોવિંદસિંહજીની શહાદત યાદમાં વીર બાલ દિવસ, રાષ્ટ્રીય દિવસની ઉજવણી તેમજ ૨૦૨૫ નું પૂરું વર્ષ સુશાસન દિવસની ઉજવણી કરવા માર્ગદર્શન બેઠક રાખવામા આવેલ છે. તેમ જિલ્લા ભાજપા પ્રવકતા મીડિયા કન્વીનર કિશોરભાઇ ભટ્ટની અખબાર યાદીમાં જણાવાયું છે.