Friday June 20, 2025

ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો

માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર

ભાવનગર

ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા બંદર રોડ, શ્રી વૃંદાવન ગૌશાળા અધેવાડા, શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ગૌશાળા, શ્રી રૂવાપરી ગૌશાળા , શ્રી સુરભી ગૌશાળા નારી રોડ વગેરે જગ્યાએ નિયમિત ગૌ સેવા કાર્ય આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે . તાજેતરમાં શિયાળાની ઠંડીમાં જે નિરાધારો શહેરના અલગ અલગ વિસ્તારમાં મોડી રાત્રે સુતા હોય છે તેમને કડકડતી ઠંડી સામે રક્ષણ થાય તે માટે ગરમ ધાબળાઓ જે 100 થી વધુ સારી ક્વોલિટીના નવા ખરીદીને આ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ભાવનગર શહેરના દરેક સર્કલો, રસ્તાઓ, બાગ બગીચા, હોસ્પિટલો,રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન સહિતની જગ્યાઓમાં બાઈકમાં ફરી ને આવા જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું, આવા પ્રભુજી ઓને વંદન કરીને માનવ સેવાનું આ ઉમદા કાર્ય કરવામાં આવ્યું.
કૈલાશ પરિવારમાં હાલ 150 થી વધુ સભ્યો છે, જે સભ્યોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને સૌ સભ્યો તન મન અને ધનથી સેવા કાર્યોમાં સહભાગી બની જોડાઈ રહ્યા છે, દરેક સભ્યો પોતાના સ્વજનોના જન્મદિવસ મેરેજ એનિવર્સરી કે પુણ્યતિથિ જેવા અનેક પ્રસંગોએ કંઈક ને કંઈક રીતે ધનરાશિ કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટમાં અર્પણ કરી સેવા કાર્યમાં સહભાગી બનતા રહ્યા છે.
સંસ્થાના સ્થાપક શ્રી રાજેન્દ્રસિંહ જસુભા ગોહિલ (રાજભા) તથા તેમની સાથે ના દરેક ટ્રસ્ટીશ્રીઓ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રેમપૂર્વક જોડાયેલા રહી સેવા નિરંતર કરી રહ્યા છે , આ ઉપરાંત કૈલાશ પરિવારના પ્રમુખશ્રી પ્રિતીબા આર. ગોહિલ , શ્રી સુનિલભાઈ શ્રીવાસ્તવ, શ્રી સુરજીતસિંહ સરવૈયા , શ્રી વિક્રમસિંહ ગોહિલ, શ્રી દ્વારકેશરાજસિંહ ગોહિલ, શ્રી મનોજભાઈ વાજા , શ્રી ઉદુભા ગોહિલ, શ્રી દેવજીદાદા શ્રી પરેશભાઈ ચંદારાણા , શ્રી ડી ડી ગોહિલ ઉપરાંત પરિવારના બહેનો ભાઈઓ પણ આ કાર્યમાં સતત સમયની સાથે સેવા આપી રહ્યા છે. કૈલાશ પરિવાર દ્વારા ગૌસેવા માનવસેવા જીવદયા ની સેવા ઉપરાંત મંદબુદ્ધિ ના પ્રભુજીને ભોજન પ્રસાદ, પક્ષીઓને ચણ, બાલા આશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ અનાથ આશ્રમ વગેરે અનેક સ્થળોએ જરૂરિયાત મુજબની સેવા માં સહભાગી બની માનવ જીવનને સાર્થક બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top