ભાવનગર
ભીલ જ્ઞાતિ મંડળ, ખોડિયાર એન્ટરપ્રાઇજ ઇ-સર્વિસ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી તથા રાષ્ટ્રીય અનુ.જાતિ. અને અનુ.જન જાતિ વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શનથી યોગીનગર ખાતે આવેલ ભાવનગર આદિવાસી ભીલ જ્ઞાતિની વાડીએ રેશનકાર્ડના કે.વાય.સી તેમજ આઘારકાર્ડમાં સુધારા- વધારા કરવાના બે- દિવસીય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ, જેમાં ૧૧૦ લોકોના આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ ૨૩૦ કરતા વધુ લોકોના રેશનકાર્ડના કે.વાય.સી કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપ અનુ. જનજાતિ મોરચો, નિવૃત કર્મચારીઓ, વરિષ્ટ આગેવાનો, રુવા મઢુલી મિત્ર મંડળ, એકલવ્ય મિત્ર મંડળ, ભીલ સોસાયટી તેમજ આજુબાજુમાં વસતા આદિવાસી ભીલ સમાજના લોકો સહિત વિવધ મંડળોએ પરિશ્રમ કરીને કાર્યક્રમને સફળ બનાવેલ.


