
હરેશ પરમાર, ભાવનગર
૨૩ માર્ચ ૧૯૩૧ ના રોજ વીર શહીદ ભગતસિંહજી, શિવરામ રાજ્યગુરુજી તેમજ સુખદેવ થાપરજીએ ‘માં ભારતી’ ના ચરણમાં પોતાના મસ્તકની આહુતિ આપેલ, એ ઘટનાને આજે ચોરાણું વર્ષ થયાં છે, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ૨૩-૦૩-૨૦૨૫ અને ‘શહીદ દિન’ અંતર્ગત સવારે ૧૦-૦૦ કલાકે ઘોઘાગેટ ખાતે શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી, ત્યાર બાદ હલુરિયાના હુતાત્મા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે દેશના તમામ શહીદોને વિરાંજલી અર્પણ કરવામાં આવેલ, જેમાં પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, ન. પ્રા. શિ. સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા સહિત શિક્ષણ સમિતિ તેમજ મહિલા મોરચા સહિત તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ મુકેશભાઈ ડાભી, મહામંત્રીઓ કિશનભાઈ મહેતા અને ભાવદીપસિંહ ગોહિલ સહિત યુવા મોરચા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉપાડવામાં આવેલ છે.


