રાજકોટ
રાજકોટના ભગવતીપરાના રહેવાસી સરોજબેન જીવણભાઈ દેથરિયાની ૧૬ વર્ષીય દીકરીનું તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યાના અરસામાં ભગવતીપરામાં પોતાના ઘરેથી અપહરણ થયેલ છે. આરોપી લલચાવી ફોસલાવી લઈ ગયો હોવાની બાતમી મળી છે. તેમના વિષે કોઈ જાણકારી મળે તો બી.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.