


જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે માત્ર પાણીના અભાવે ડી-હાઇડ્રેશનના કારણે કેટલાય પક્ષીઓ પોતાનો જીવ ગુમાવે છે અને પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના શ્રી ભગીરથ યુવા ગ્રુપના યુવાનો દ્વારા આ અબોલ જીવોની મદદ અર્થે આગળ આવી અને રૂપામોરા ગામની પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓનાં માધ્યમથી સ્વખર્ચે 1000 જેટલા પાણીના કુંડા, ચકલી ઘર અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
આ સેવાકાર્યમાં ગ્રુપના ડાયાભાઈ કદાવલા, હાર્દિકભાઈ, જગદીશભાઈ, વિજયભાઈ, કિરીટભાઈ, હિતેષભાઈ, હરીશભાઈ, અરવિંદભાઈ, હસમુખભાઈ, શાળાના તમામ શિક્ષકો અને ગામના આગેવાનોએ જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



(ફોટો:- કુંજન રાડિયા)