કુંજન રાડિયા, જામ ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુરની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા. 16 ફેબ્રુઆરીના રોજ થનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે. જે અંતર્ગત સલાયા નગરપાલિકા વિસ્તાર માટે આચાર સંહિતા ભંગ અને ખર્ચ નિયંત્રણ અંગેનું સૂચનાઓના ભંગ બદલ તથા મતદારોની ચૂંટણી સંબંધી ફરિયાદોના નિકાલ માટે ચૂંટણી અધિકારી કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં રહે છે. જે અન્વયે ખંભાળિયાની પ્રાંત કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં (૦૨૮૩૩) ૨૩૪૫૭૭ પર ચૂંટણી સંબંધી ફરિયાદોની નોંધણી કરી શકાશે.