
મૂકેશ પંડિત
ભાવનગર તા. ૩૦/૦૪/૨૦૨૫
જીવદયા અને પર્યાવરણ બચાવ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ પ્રેમ કંડોલિયા ડોક્ટર બની ગયા છે.
તેઓ એ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન : અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ’ વિષય પર પીએચડીની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે. સીવીએમ યુનિવર્સીટી વલ્લભ વિદ્યાનગરથી ગાઈડ પ્રો. ડો. અર્ણવ અંજારીયાના માર્ગદર્શન નીચે તેઓએ પીએચડી પૂર્ણ કર્યું છે. વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી સંશોધન અભ્યાસની આ યાત્રા તેમના જીવનનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
ડૉ. પ્રેમ કંડોલિયાએ જણાવ્યું હતું કે, આ સંશોધન અભ્યાસથી ‘સ્વચ્છતા અભિયાન’ ને એક નવી ઉંચાઈ મળશે. આવનારા દિવસમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સ્વચ્છ ભારત મિશન વધુ મજબૂત પાસુ બનશે. તેઓએ સંશોધનકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગી બનનાર તમામનો આભાર વ્યકત કર્યો હતો.
ડો. પ્રેમ કંડોલિયા સામાજીક, ધાર્મિક, આરોગ્ય, શૈક્ષણિક, સાહિત્ય, કલા, સ્વચ્છતા, પર્યાવરણ પ્રકૃતિ અને જીવદયા જેવા અનેક કાર્ય સાથે સંકળાયેલા છે. તેઓ એક મલ્ટીટલેન્ટેડ વ્યક્તિ તરીકે બહોળા યુવા વર્ગ સાથે જોડાયેલા છે.
