ભાવનગર
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કાર્યના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. આ કારણોસર, 28 જાન્યુઆરી, 2025 (મંગળવાર) ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનથી ચાલવા વાળી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28.01.2025 (મંગળવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલતી ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેન (12941) સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે મુસાફરો ટ્રેનોના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ અવલોકન કરી શકે છે.