Saturday June 21, 2025

પ્રયાગરાજમાં કરોડો યાત્રિકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા

ઈશ્વરિયા મંગળવાર તા.૨૮-૧-૨૦૨૫
(મૂકેશ પંડિત દ્વારા)

કરોડો યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રયાગરાજક્ષેત્રમાં સલામતી માટે ચુસ્ત નિયંત્રણ રખાયેલ છે.

મહાકુંભમેળામાં દેશ અને દુનિયામાંથી આવતાં ભાવિક શ્રદ્ધાળુઓની સલામતી એક રીતે સ્થાનિક તંત્ર માટે પડકાર રૂપ છે. સાધુ સંતો અને અખાડા સાથે કરોડો ભાવિક યાત્રિકોની સુરક્ષા માટે મહાકુંભમેળામાં ભારે બંદોબસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે.

ભારતીય સેના, અર્ધલશ્કરી દળ, સ્થાનિક પોલીસ ઉપરાંત રાષ્ટ્રીય આપદા પ્રબંધન ટુકડી સાથે અગ્નિ શમન વિભાગ ચોવીસ કલાક કાર્યરત છે.

ગંગા, યમુના અને સરસ્વતી સંગમ સ્થાન સાથે મહાકુંભનગરી તેમજ પ્રયાગરાજ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બને તો તત્કાળ રાહત બચાવ માટે તંત્ર સચેત રહેલ છે.

સ્નાન પર્વ દરમિયાન અખાડા સાથે તેમજ અન્ય દિવસોમાં યાત્રિકોનાં અવરજવર નિયંત્રણ માટે સુરક્ષા તંત્ર ભારે સાવધાની રાખી નિરીક્ષણમાં કાર્યરત રહેલ છે.

સંભવિત આતંકવાદી કે દુર્ઘટનાની પરિસ્થિતિ સામે ત્વરિત કાર્યવાહી અને ભાવિક યાત્રિકોને કે કોઈ અન્ય હાનિ ન થાય તે માટે સલામતી અધિકારીઓ સચેત રહ્યાં છે અને નમ્ર વ્યવહાર સાથે કડક બંદોબસ્ત જાળવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top