ખંભાળિયા: ભાણવડમાં હાલ રહેતી અને રમણીકભાઈ ગોહેલની 34 વર્ષની પરિણીત પુત્રી નેહલબેન વિજયભાઈ વાજાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પછી વિજય મહેશભાઈ વાજા, સસરા મહેશભાઈ નરશીભાઈ વાજા સાસુ ગૌરીબેન તથા મુકેશભાઈ વનુભાઈ ગોહેલ દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન ઘરકામ બાબતે તેમજ અન્ય બાબતે શારીરિક થતા માનસિક દુઃખ-ત્રાસ આપી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે તમામ ચાર સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.