Friday June 20, 2025

Bhavnagar Health World : ડો.હેતલ લીંબાણી દ્વારા કમરના દુ:ખાવામાં કાપકુપ વિના રેડિયો ફ્રિકવન્સીથી ઓપરેશન કરાયું

ભાવનગરમાં સૌ પ્રથમઅત્યાધુનિક એબલેશન પદ્ધતિથી દર્દીની સારવાર કરાઇ : ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધિરૂપ ઘટના

વિપુલ હિરાણી , ભાવનગર તા.૩

ભાવનગર ખાતે આવેલ ડો. હેતલ લીંબાણી ના ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે કમરના દુ:ખાવાના દર્દીનું સૌ પ્રથમ રેડિયો ફ્રિકવન્સી એબલેશન સારવાર પદ્ધતિથી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. જે ભાવનગર માટે તબીબી જગતમાં સિદ્ધીરૂપ ગણી શકાય.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક પુરૂષને કમરના મણકામાં ગાદી ખસી જવાથી નસ દબાતી હતી જેથી દર્દીને કમરથી લઇ પગ સુધી સતત દુ-ખાવો અને ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોવાથી આ દર્દીએ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે સારવાર લીધી હતી જેમાં ડો. હેતલ લીંબાણી દ્વારા ભાવનગરમાં સૌ પ્રથમ વખત આ પુરૂષ દર્દીને રેડીયો ફ્રિકવન્સી એબલેશન ટ્રીટમેન્ટ એટલે કે દર્દીને કોઇપણ જાતની કાપકુપ કે એનેસ્થેસીયા વગર જે નસ દબાતી હતી તેને ઉચ્ચ ફ્રિકવન્સીના રેડિયો તરંગો દ્વારા નિશ્ચેતન કરી, દર્દીને લાંબાગાળાના દુ:ખાવામાંથી રાહત આપી દર્દીનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

તબીબી જગતમાં દિવસે દિવસે આવતી આધુનિક પદ્ધતિમાંની રેડિયો ફ્રિકવન્સી એબ્લેશેન ટ્રીટમેન્ટ છે. જે સારવારથી ઓપરેશન બાદ તુરંત દર્દી ચાલીને ઘરે જઇ

શકે છે. RFA સારવાર સુરક્ષિત છે, અને તે કમરના દુખાવાના નિયંત્રણ માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જે જોખમ રહિત છે.રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન સારવાર લાઇવ એક્સ-રે તેમજ સોનોગ્રાફી (હાઇબ્રીડ)ની મદદથી ચોક્કસ જગ્યાએ જ સારવાર આપવામાં આવે છે. કમરના દુખાવાનું કારણ બે મણકા વચ્ચેની ગાદી ખસી જવી જેના કારણે નસ દબાય છે જેને સાંઇટિકા પણ કહે છે. જો કે, અમેરિકા અને મુંબઇમાં જે સારવાર ઉપલબ્ધ છે તે હવે ભાવનગરના લોકોને ભાવનગરમાં જ મળી રહેશે.

સ્પાઇન અને મણકાના દુ:ખાવાથી બચવા શું કરવું? આ અંગે ડો. હેતલ લીંબાણીએ જણાવ્યું હતું કે

સ્પાઇન અને મણકા તેમજ બે મણકા વચ્ચે કેની ગાદી ખસી જવી તેવી બિમારીઓ દિવસે દિવસે વધતી જાય છે ત્યારે આ બિમારીથી બચવા લોકોએ અનેક સાવચેતી રૂપ પગલાં લેવી જરૂરી બની રહે છે. જેમાં કોઇપણ વ્યક્તિએ વધુ પડતું વજન ન ઊંચકાવવું, સતત એક જ પોઝીશનમાં બેસી ન રહેવું અથવા વધુ કલાકો બેસીને એક જ જગ્યાએ કામ કરતા હોય તેને ટાળવું જોઇએ તેમજ મણકામાં ઘસારો થવો અથવા તો ઇજા થઇ હોય તો પણ આ બિમારી થવાની શક્યતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top