ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી
મુકેશ પંડિત, ઈશ્વરીયા ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…
