Headlines

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી

મુકેશ પંડિત, ઈશ્વરીયા ​ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…

Read More

ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ

​મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…

Read More

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More

ભાવનગરના અગીયાળી ગામે અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

​વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૨ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ​ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં…

Read More

સોનગઢ રેલવે સ્ટેશન પર મળેલા નાબાલિક બાળકને રેલવે કર્મચારીઓની સતર્કતાથી મળ્યું સુરક્ષિત સંરક્ષણ

શંભુ સિંહ, ભાવનગર તા. 18 ફેબ્રુઆરી 2026ના રોજ રેલવે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત સતર્ક ફરજ દરમિયાન સોનગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક–01 પર ફરજ બજાવતા પોઇન્ટ્સમેન બલવીર મીના ને એક નાબાલિક બાળક શંકાસ્પદ સ્થિતિમાં ફરતો જોવા મળ્યો હતો. પૂછપરછ દરમિયાન બાળક પોતાના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. ત્યારબાદ પોઇન્ટ્સમેન દ્વારા તેને તાત્કાલિક સ્ટેશન માસ્ટર પંકજ…

Read More

અગિયાળી જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના જૈનધર્મ ગુરુઓએ મુલાકાત લીધી

તદ્દન વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવાર કરતી સંસ્થાના કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી મૂકેશ પંડિત, ઈશ્વરિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬ ગોહિલવાડનાં અગિયાળીમાં જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના ધર્મ ગુરુઓએ મુલાકાત લીધી અને સેવા કાર્યની પ્રસન્નતા વ્યક્ત કરી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં આચાર્ય ભગવંત શ્રી ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, શ્રી દેવેન્દ્ર મહારાજ…

Read More

ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારીને ધાક-ધમકીઓ આપી વારંવાર બળાત્કાર ગુજારનાર સિહોરના લુખ્ખા-લંતરિયા સામે આખરે ગંગાજળિયા થાણે FIR

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગરમાં એક મહિલા પોલીસ કર્મચારીને વિવિધ પ્રકારનું દબાણ કરીને તેના પર એક લુખ્ખા શખ્સે વારંવાર બળાત્કાર કર્યો હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. જાણવા એવું મળી રહ્યું છે કે આરોપી શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા પોલીસ કર્મચારી સાથે મિત્ર રૂપે સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર પછી આ મિત્રતાને અન્ય રૂપમાં…

Read More

લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા…

Read More

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી…

Read More