Headlines

ખંભાળિયાની શાળામાં આગ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલી ધોરીવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં બેઝિક ફાયર અને રેસ્ક્યુ સાધનો અંગેની ટ્રેનિંગ તેમજ આગ લાગે તો શું પગલાં લેવા અને શું ન લેવા તે અંગે વિદ્યાર્થીઓને…

Read More

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા…

Read More

ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ…

Read More

ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૬       ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ બુધવારે શહીદ દિન નિમિતે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે સવારે બે મિનિટ મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યું હતું.  જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: નકુમ

, જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના…

Read More

ખંભાળિયાના યુવા ફોટોગ્રાફરના હોનહાર પુત્ર વિવેક કોટેચાનો જન્મદિવસ હોનહાર રીતે ઉજવાયો

જામ ખંભાળિયા          ખંભાળિયાના ફ્રી લાઇન્સ ફોટોગ્રાફર અને જાણીતા રઘુવંશી કાર્યકર મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેક કોટેચાનો આજે જન્મદિવસ છે. તારીખ 28-01-2007 ના રોજ જન્મેલા વિવેક કોટેચા હાલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શિક્ષણ લઈ રહ્યા છે. ડાન્સિંગ, ગેમિંગ, સાયકલિંગ અને ક્રિકેટ જેવી ક્રિએટિવિટીમાં માસ્ટરી તેમજ હોબી ધરાવતા વિવેક કોટેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે…

Read More

ભાણવડના ધરતીપુત્ર સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી

– પરપ્રાંતિય શખ્સ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડી લેવાયા… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે જાહેર…

Read More

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોની તબીબી ચકાસણી: અવેરનેસ સાથે વિના મૂલ્યે ચશ્મા વિતરણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા વિના મૂલ્યે વાહન ચાલકોની આંખની તપાસણી તથા ચશ્મા તથા ટ્રાફિક અવેરનેસ પેમ્પ્લેટ્સ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.           દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ ખંભાળિયાના…

Read More

દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ: સાત વોર્ડની 28 સીટ માટે 155 દાવેદારો

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫        દ્વારકા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અંગે ભાજપ દ્વારા પક્ષમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 સભ્યોની ચૂંટણી માટે 155 જેટલા દાવેદારોએ ભાજપ પાસે ટીકીટની માંગણી કરી છે.          નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરી…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ટાચકાણી

જામ ખંભાળિયા: સ્વ. ચંદુલાલ વીરજી ટાચકાણી (જોશી)ના પુત્ર ગૌરીશંકરભાઈ તે મહેન્દ્રભાઈ અને નિલેશભાઈ શાંતિલાલ ટાચકાણી (જોશી), ભાવનાબહેન લાલજીભાઈ ખીરા, ધીરજલાલ રેવાશંકર ટાચકાણીના મોટાભાઈ તા. ૨૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી અત્રે સારસ્વત મહાસ્થાન (બ્રહ્મપૂરી), ખાતે રાખવામાં આવેલ છે.

Read More