Friday June 20, 2025

High Range Crime: ભાવનગરમાં મારામારીનો બનાવ હત્યામાં પરિણામતાં મકાનો અને રીક્ષાને આગ

મારામારીમાં ઘાયલ થયેલ નરસિંહભાઈ જાદવનું સાંજે 7:40 વાગે સર ટી હોસ્પિટલમાં મોત થયાના પગલે રૂવાપરી રોડ પર આગજનીના બનાવો બન્યા

પોલીસનું જાણે કોઈ અસ્તિત્વ જ ન હોય તે રીતે શહેરના કોઈપણ ખૂણે બની શકે છે કંઈ પણ: ભાવનગરની ક્રાઈમની સ્થિતિ ચિંતાજનક

ભાવનગર

ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો આખરે હત્યાના બનાવ સુધી વિસ્તર્યો અને ત્યારબાદ મૃતકના પરિવાર અને સંબંધીઓ દ્વારા સામેવાળા પક્ષના ત્રણ મકાન અને એક રિક્ષા સળગાવી તોડફોડ કર્યા ની ઘટના સામે આવી છે. અત્યારના બનાવતી અને ત્યારબાદ બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે ત્યારે પોલીસ ઝાપટા બંદોબસ્ત સાથે સમગ્ર ઘટનાક્રમને કાબુમાં લેવા મથી રહી છેબે દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જે ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડાયા, જેમાં એકનું આજરોજ મોત નીપજ્યું હતું. બનાવને લઇ રૂવાપરી મહાકાળી વસાહત વિસ્તારમાં ફરી થઇ બબાલ થઈ હતી. આશરે ત્રણ જેટલાં મકાનો અને એક રીક્ષામાં આગ લગાવી તોડફોડ કરાઈ હતી જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.

બનાવ અંગે જાણ થતા ઇન્ચાર્જ એસપી અને એએસપી અંસુલ જૈન, સીટી ડીવાયએસપી સિંઘાલ, એલસીબી સહીત ઘોઘા રોડ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો.
ઘટનામાં જાનહાની કે કોઈને ઇજા થઇ ન હોવાનું હાલ જાણવા મળે છે. પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રૂવાપરી રોડ મહાકાળી વિસ્તાર એક્સલ કંપનીની પાછળના ભાગમાં રહેતા નરસિંહભાઈ પરસોત્તમભાઈ જાદવ ઉપર સાગરભાઇ નામના વ્યક્તિ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં નરસિંહભાઈ ઉપર માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું હતું. દરમિયાન આજે સર ટી હોસ્પિટલમાં 1940 એટલે કે સાંજના 7: 40 કલાકે તેનું મોત નીપજ્યું હતું. અને ત્યારબાદ મકાનો અને રીક્ષા સળગાવવાની ઘટના બની હતી. શહેરમાં જાણે કે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તે રીતે મોટા પાયે આગજનીના બનાવો બન્યા હતા. પ્રાથમિક તબક્કે ત્રણ મકાનો અને એક રિક્ષાને આગ લગાવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસ સૂત્રોએ કહ્યું કે આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે આરોપીઓ સામે એફઆઇઆર સહિતની કાર્યવાહીની તજવીજ થઈ રહી હતી. ડીવાયએસપી સિંગલ પણ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પર આવી ગયા હતા.

ભાવનગરમાં નબળી પડતી જતી પોલીસ અને હાઇ રેન્જ પર જતો ક્રાઇમ રેટ

છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં એવી એવી ઘટનાઓ બની રહી છે કે જાણે પોલીસનો અસ્તિત્વ જ ન હોય. ભાવનગર નો ક્રાઇમ રેટ છેલ્લા સમયમાં હાય રેન્જ પર આવી ગયો છે અને લોકો એવા એવા સાહસો કરી રહ્યા છે કે પોલીસને નબળી સાબિત કરી રહ્યા છે. હત્યા પછી આગજની અને તોડફોડ નો આ બનાવ એ સૂચવી જાય છે કે લોકોને હવે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી. ડી વાય એસ પી સિંઘાલ જેવા પોલીસ અધિકારીઓ પણ આ ઘટના અંગે તુરંત કશુક કહેતાં અચકાઇ રહ્યા છે. ગૃહ વિભાગે ભાવનગરના ક્રાઈમ રેટ અંગે રિસન્ટ એનાલિસિસ કરીને યોગ્ય નિર્ણયો લેવાની જરૂર હોવાનું ક્રાઈમ સમીક્ષકો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top