◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
પોરબંદર જિલ્લા કલેકટર સાહેબ અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ સહિત ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
રેલીમાં જાગૃત નાગરિકો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં જોડાયા

પોરબંદર
સમગ્ર દેશમાં રોડ અકસ્માત અટકાવવા સરકાર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર ખાતે એઆરટીઓ, પોલીસ, જીલ્લા ટ્રાફિક પોલીસ,જેસીઆઈ અને નેશનલ હાઇવે વિભાગના ટોલ પ્લાઝાના સંયુક્ત રીતે ટ્રાફિક જાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રુપાળીબાગ ખાતેથી કલેકટર એસ.ડી.ધાનાણી અને પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાએ લીલી ઝંડી આપીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી હોટલ હાર્મની જુના ફુવારા સર્કલથી સુદામા ચોક અને સુદામા ચોકથી એમ.જી.રોડ, નરસંગ ટેકરી સુધી યોજવામાં આવી હતી. રેલીની સાથે સાથે ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે પત્રિકા વગેરે પ્રચાર સાહિત્યનું દુકાનદારો અને રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.


રેલી પૂર્વે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી અને પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં માર્ગ અકસ્માત અટકાવવા માટે લોક જાગૃતિ લાવવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા ,એઆરટીઓ કે.જી.જાડેજા, ડી.એસ.બેરા, પી.જી.કુરકુટિયા, ટ્રાફિક પીએસઆઇ કે.એન.અઘેરા, પીએસઆઇ કે.બી.ચૌહાણ, જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા, પ્રમુખ રાધેશ દાસાણી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારીયા, ટોલ પ્લાઝા મેનેજર સંજયસિંહ, આરએસપી હિતેશ લાખાણી, જુદી જુદી સંસ્થાઓના હોદેદારો, મોટર ડ્રાઇવિંગ સ્કૂલોના સંચાલકો, પીયૂસી સેન્ટરના સંચાલકો, નેશનલ હાઇવે અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, જેસીઆઈના સભ્યો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
