Headlines

સફેદ ડુંગળીમાં સરકાર ખેડૂતોને માટે સહાય પેકેજ જાહેર કરે: આપ દ્વારા રજૂઆત

– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.        …

Read More

પહેલગામ આતંકવાદી હુમલાને વખોડતા ખંભાળિયા સુન્ની મુસ્લિમ જમાત: કડક પગલાની માંગ

– જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કાશ્મીરના પહેલગામમાં ગત તારીખ 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓના જીવ ગયા છે. આટલું જ નહીં, અનેક લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા છે. આ ઘાતકી કૃત્યને ખંભાળિયાના સમસ્ત સુની મુસ્લિમ જમાતના લોકોએ સખત શબ્દોમાં વખોડીને વિરોધ કર્યો છે. …

Read More

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫         કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા…

Read More

ખંભાળિયા સહિત દેવભૂમિ જિલ્લાની શાળાઓમાં વોટર પ્યુરીફાયર અને વોટર કુલર અર્પણ

– જિલ્લાની 102 શાળાઓને મળ્યો લાભ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવી દિલ્હીની સંસ્થાના સહયોગથી વોટર કુલર અને વોટર પ્યુરીફાયર અર્પણ કરવામાં આવ્યા છે.        નોયડા (નવી દિલ્હી) સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સી.એસ.આર. એક્ટિવિટીના ભાગરૂપે જામનગર સંસદીય વિસ્તારમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા વિદેશી નાગરિકો અંગે પોલીસનું વ્યાપક ચેકિંગ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫          પહેલગામ ખાતે તાજેતરમાં કરવામાં આવેલા આતંકી હુમલાના પગલે સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બન્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વિદેશી નાગરિકો અંગેની ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.          દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Read More

નંદાણા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બે નો ભોગ લીધો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રવજીભાઈ રાજાભાઈ નકુમ નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે તેમની વાડીએ ગયા હતા. ત્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર રામભાઈ નકુમે કલ્યાણપુર પોલીસને કરી છે.         અન્ય એક બનાવમાં ગીર સોમનાથ…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: રાણાવાવ નિવાસી નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો વાળા) તે મનોજભાઈ, સુનિલભાઈ અને સ્વ. કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી તથા સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. હસમુખભાઈ, વજુભાઈ અને સુરેશભાઈના ભાઈ તા. 27 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. 28 મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો…

Read More

કુતરાને માર મારતા યુવાનને ટપારતા કુહાડી વડે હુમલો: ભાણવડનો બનાવ

    Kunjan Radiya, Bhanvad  ભાણવડમાં આવેલી પદ્માવતી સોસાયટી ખાતે રહેતા દેવાભાઈ સાદીયા નામના શખ્સ દ્વારા બજારમાં કુતરાઓને મારવામાં આવતા આ વિસ્તારમાં રહેતા સવિતાબેન કિશોરભાઈ ચાવડાએ દેવાભાઈને કૂતરાઓને ન મારવા કહ્યું હતું. આનાથી ઉશ્કેરાયેલા દેવાભાઈએ તેના હાથમાં રહેલા કુહાડા સાથે અહીં આવી અને તેમના ઘર નજીક રીક્ષાનું રીપેરીંગ કામ કરતા તેણીના પતિ કિશોરભાઈ જેઠાભાઈ ચાવડા…

Read More

ઓનલાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે એફઆઇઆર

– બે ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસે બે શખ્સોને દબોચ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૫        છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ગેમિંગ મારફતે જુગાર રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. ખાસ કરીને જુવાનિયાઓ આવા જુગારના રવાડે ચડે છે અને બરબાદ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં…

Read More

નરારા પોર્ટ પાસે ઇંધણ પાઇપલાઈનમાં આગ અને વિસ્ફોટ: દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતાની ચકાસણી કરાઈ

– જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે મોકડ્રિલ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૫        ખંભાળિયા-જામનગર માર્ગ પર નરારા પોર્ટ પાસે ઈંધણની પાઇપલાઇનમાં આગ અને વિસ્ફોટ થવાની દુર્ઘટનામાં બચાવ કામગીરી અંગેની સતર્કતા ચકાસણી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને નયારા એનર્જીના સયુંકત ઉપક્રમે આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…

Read More