Headlines

કલ્યાણપુરમાં સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સબબ બે આરોપીઓને કેદ તથા દંડ

– લીઝ પરવાના વગર ગેરકાયદેસર રીતે 16 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫       કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 5.14 કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાર્ગેટેડ કેસોનું ઝડપી કાયમી નિવારણ માટે સ્પેશિયલ લોક અદાલતનું આયોજન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી શ્રી આર.એ. ત્રિવેદીની સીધી દેખરેખ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.વી. વ્યાસ દ્વારા આગામી શનિવાર તારીખ ૮ મી ના રોજ સમગ્ર જિલ્લામાં…

Read More

પિક્ચર અભી બાકી હૈ… બેટ દ્વારકામાં હાઇકોર્ટનો સ્ટે ઉઠી જતા પુનઃ દબાણ હટાવ કામગીરી હાથ ધરતું સરકારી તંત્ર

– સાડા છ હજાર ચોરસ ફૂટ જગ્યા પરનું દબાણ ધ્વસ્ત કરાયું – – હજુ કામગીરી જારી રહેશે: એસ.ડી.એમ. – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૪       દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ગત તારીખ 11 મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં આઠ દિવસની કામગીરીમાં 525 જેટલા દબાણો દૂર કરાયા છે. ત્યારે કેટલાક સ્થળોએ અગાઉ હાઈકોર્ટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫        લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ફેબ્રુઆરી માસનો સ્વાગત કાર્યક્રમ તા. 27 ના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાશે.         જિલ્લા…

Read More

ગુજરાતનો વીજ પુરવઠામાં વર્ષ 2020 અને 2024 વચ્ચે 28 ટકાનો થયો વધારો

– ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના: રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. જેના કારણમાં રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28 ટકા જેટલો વધીને વર્ષ 2024માં 1,45,740…

Read More

બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત બનેલા મેવાસાના વૃદ્ધનું મૃત્યુ

અંધશ્રદ્ધામાં રાચતા મીઠાપુરના પ્રૌઢએ એસિડ ગટગટાવી લેતાં મૃત્યુ       જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ મહિનાથી કોઈપણ પ્રકારનો કામ ધંધો ન કરતા રાનાભાઈ ગુમસૂમ રહેતા હતા. તેઓને કોઈ દેવ નડે છે તેવી…

Read More

ખંભાળિયામાં સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

– સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વેબસાઈટ લોન્ચ કરાઈ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫          ખંભાળિયામાં આવેલા શ્રી સારસ્વત મહાસ્થાનના ઉપક્રમે અત્રેની સારસ્વત બ્રહ્મપુરી ખાતે તાજેતરમાં વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.         જેમાં શ્રી સરસ્વતી માતાજીના પ્રાગટ્ય દિન વસંત…

Read More

દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫        દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી.                        આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે…

Read More

ખંભાળિયા સહિત જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં: નાના દરનાં ચલણની તંગીથી લોકોને મુશ્કેલી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો…

Read More

ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે સંજય આંબલિયા બિનહરીફ જાહેર

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશનએ અત્રેની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રેક્ટિસ કરતા બધા વકીલોનું એક સંગઠન છે. જેમાં આ સંગઠન દ્વારા વકીલો અને અરજદારોને કોઈ તકલીફ ન પડે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સારી રીતે લાવી શકીએ તે હેતુથી આ…

Read More