Saturday June 21, 2025

પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…

પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં […]

મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ

પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી. સમગ્ર સંસારને આકર્ષણ છે તેવાં મહાકુંભમેળામાં અનેકવિધ સેવા […]

કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા૧૪૪ વર્ષે જેનો યોગ રચાયો છે તે મહાકુંભનું પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગઈકાલે રાત્રે મૌની અમાસને દિવસે કુંભમાં વધુ પડતી ભીડ ઉમટી પડી હતી. એ સંજોગોમાં લોક પ્રવાહને નિયંત્રિત કરવા માટે લગાવેલી બેરીકેડ તૂટી જતાં પ્રાપ્ત વિગતો અનુસાર ૩૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે […]

પ્રયાગરાજમાં મોરારીબાપુની “માનસ મહાકુંભ” કથામાં હાજરી આપતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સનાતન ધર્મની વ્યાખ્યા એટલે શાશ્વત મૂલ્યો સાથે નિરંતર તત્વ – મોરારિબાપુ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે હવે રામનાં ચરિત્રનું આચરણ થશે તેવી વ્યકત કરી હૈયાધારણ પ્રયાગરાજ સોમવાર તા.૨૦-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) શિવ અને રામનાં ચરિત્ર વર્ણન પ્રસંગો સાથે રામકથા ‘માનસ મહાકુંભ’ ગાન કરતાં મોરારિબાપુએ શૈવ અને વૈષ્ણવ સંગમ ભાવ જણાવી સનાતન ધર્મની વ્યાખ્યા […]

મહાકુંભ પ્રયાગરાજ સંગમક્ષેત્ર, નયનરમ્ય અહર્નિશ…!

તસવીર કથા : મૂકેશ પંડિત, પ્રયાગરાજ સંસારનો વિરાટ સનાતન મેળો, મહાકુંભમેળો…! પ્રયાગરાજમાં સ્નાન હેતુ પુરા વિશ્વમાંથી જે સ્થાન પર આસ્થાળુઓ ઉમટી રહ્યાં છે તે સંગમક્ષેત્ર દિવસ રાત દૈદીપ્યમાન રહ્યું છે. પ્રારંભનાં દિવસોમાં ધુમ્મસ, વાદળાં તેમજ વરસાદી વાતાવરણ બાદ સૂર્યનારાયણ પણ હવે તેજ પાથરી રહ્યાં છે. પ્રકૃતિનાં ઉજાસથી દિવસે અને વિદ્યુત પ્રકાશથી રાતે ભવ્ય ઝળહળાટ રહ્યો […]

પ્રયાગરાજમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા પ્રારંભ

પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચાલી રહ્યો છે, આ ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમ ક્ષેત્રમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રારંભ થયો છે. કથા પ્રારંભે સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી સહિત ધર્માચાર્યો, સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું હતું અને તેઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધનો પણ થયાં હતાં.(તસવીર : મૂકેશ પંડિત)

મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં યોગી આદિત્યનાથ

પ્રયાગરાજમાં રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે વ્યક્ત કર્યો રાજીપો પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત દ્વારા) ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ચાલતી રામકથામાં ઉપસ્થિતિ રહી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ સાથે રામકથા અને મહાકુંભ અખંડ ભારતનો સંદેશ ગણાવતાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ભારતવર્ષનાં વૈશ્વિક અને વિરાટ સનાતન પર્વ મહાકુંભમેળામાં પરમાર્થ નિકેતન આશ્રમમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી ‘માનસ મહાકુંભ’ રામકથામાં ઉત્તર […]

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં રસોઈ બાટલાં ફાટતાં લાગી આગ

સદભાગ્યે જાનહાની અટકી – મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પોગ્યાં પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં બપોર બાદ રસોઈ બાટલાં ફાટતાં આગ લાગી હતી. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોગ્યા હતાં. પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગંગા કિનારા ઉપરનાં સ્થાનમાં ખૂબ જ મોટા ભંડારાનું સંચાલન કરતાં સુપ્રસિદ્ધ ગીતાપ્રેસ શિબિર ગોરખપુર અંતર્ગત […]

Hare Krishna World : હરે કૃષ્ણ… હરે રામ… ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા યાત્રા સાથે થઈ રહ્યું છે સનાતન સંસ્કૃતિનું સદકાર્ય પ્રયાગરાજ શનિવાર તા.૧૮-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) હરે કૃષ્ણ… હરે રામ… ભક્તિનાદ અને ભાવગાન સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભગવત ગીતા વિતરણ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન) દ્વારા આ ક્ષેત્રમાં યાત્રા સાથે સનાતન સંસ્કૃતિનું સદકાર્ય થઈ રહ્યું છે. ભારતવર્ષનાં મહાન એવાં કુંભપર્વમાં પ્રયાગરાજનાં આ […]

 મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન

ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરાયો પ્રયાગરાજભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો મહા કુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત […]

Back to Top