જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫
જામ ખંભાળિયા: ગુર્જર સુતાર સ્વ. ઘેલાભાઈ વશરામભાઈ દુધૈયાના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ. 88) તે પ્રકાશભાઈ, શરદભાઈ, અનિલભાઈ તેમજ જોસનાબેન શૈલેષકુમાર વઘાડિયા (રાજકોટ) અને ભારતીબેન ભરતકુમાર ભારદીયા (રાજકોટ)ના માતુશ્રી તેમજ વર્ષાબેન, ધારાબેન અને રિયાબેનના સાસુ તેમજ રૂમિત, હેમલ, રામ, શ્યામ, જ્યોતિબેન, મીરાબેન અને પૂજાબેનના દાદીમાં તથા સ્વ. લાલજીભાઈ મનજીભાઈ ગોરેચા (સોડસલા વારા)ના સુપુત્રી તા. 3 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું શુક્રવાર તારીખ 4 ના રોજ સાંજે 4 થી 4:30 અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી “વિશ્વકર્મા બાગ” ખાતે રાખવામાં આવેલ છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)