
જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.
ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ અને રાજ્યગુરુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ રાજ્યગુરુ તેમજ અન્ય ભક્તોએ ખાસ ઉપસ્થિત રહી અને સંતના દર્શન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
