
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 8 એપ્રિલ સુધીમાં હળવા વરસાદની સંભાવના છે. ત્યારે આ કમોસમી વરસાદને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પાકના રક્ષણ માટે નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. માર્કેટિંગ યાર્ડમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગેની વધુ જાણકારી જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
(કુંજન રાડિયા)