Saturday June 21, 2025

કાર્યકર્તાઓના ઘરની શુભેચ્છા મુલાકાતો લઈને પરિવાર ભાવ ઉજાગર કરતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ

ભાવનગર

ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે.

બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહે પક્ષના કાર્યકર્તાઓ તેમજ શહેરના તમામ વોર્ડના પ્રમુખોના ઘરની શુભેચ્છા મુલાકાત લઈને પરિવાર ભાવના ઉજાગર કરવાનું શરૂ કર્યું છે, જેમાં તેમની સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, પૂર્વ મહામંત્રીઓ, પૂર્વ સંગઠન, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો જોડાઈ રહ્યા છે, તેમ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમારની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top