45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી દીધો
મરનાર યુવકે લાંબા સમયથી ચાલી આવતી માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સામે આવ્યું
પોરબંદર
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના વાડી વિસ્તારમાં એક 45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી આપઘાત કરી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અરસીભાઇ ગીગાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૫ રહે. સિંધપુર વાડી વિસ્તાર તા.કુતિયાણા જી.પોરબંદર)ને એકાદ વર્ષ પહેલા માનસીક બીમારી હોય અને જુનાગઢ દવાખાના ખાતે સારવાર લીધેલ હોય અને હાલમાં સારૂ હોય અને કોઇ પણ કારણોસર પોતે પોતાની મેળે પોતાના ખેતરમાં કોઇ હાજર ન હોય ત્યારે આશરે રાતના સાડા આઠેક વાગ્યે ખેતરમાં જટકા શોટમાં બાંધવાનો કુણા લોખંડનો આશરે ૩૦ ફુટ લાંબો તાર પોતાના જમણા હાથના કાંડા ઉપર બાંધીને તથા બીજા છેડે પથ્થરનુ લંગર બાંધીને ખેતરમાંથી પસાર થતી ૧૧ કે.વી.ના થાંભલાની વિદ્યુત પ્રવાહની લાઇનના તારમાં લંગર નાખીને પોતાને વીજશોક આપીને મરણ ગયા છે.
તા.૧૭/૧/૨૦૨૫ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે સિંધપુરગામ વાડી વિસ્તાર મરણજનારના ખેતરમાં બનેલી આ ઘટના અંગે પંકજ સાજણભાઇ ઓડેદરા (ઉ.વ.૨૬ ધંધો- ખેતીકામ રહે.સિંધપુર વાડી વિસ્તાર) એ 18 જાન્યુઆરીના રોજ પોલીસને જાણ કરતા કુતિયાણા જમાદાર ડીએચ જાડેજાએ તપાસ હાથ ધરી છે.