Saturday June 21, 2025

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે. 

      તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરશે. તેઓ સણખલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરશે. પછી ભાણવડમાં તાલુકા સેવા સદન ખાતે સરકારી પુસ્તકાલય લોકાર્પણ તથા નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાણવડ કોર્ટની સામે પંડિતજીની વાડી ખાતે સિનેમેટિક મેગા નાટક “ખેમરો લોડણ” પ્રસ્તુતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ તેઓ દ્વારકા જવા રવાના થશે. 

      રવિવાર તા. 23 ના રોજ સવારે જગત મંદિર ખાતે મંગળા આરતી દર્શન કર્યા બાદ સવારે 9:30 વાગ્યે ગાંધવી (હર્ષદ) ખાતે હર્ષદ માતા મંદિર પરિસર ખાતે પ્રવાસન સુવિધાઓના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. અહીં તેઓ મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ “ષષ્ટપૂર્તિ વન ઉત્સવ” વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પછી રાત્રે તેઓ ખંભાળિયામાં વાછરા વાવ ખાતે સ્વ. હરદાસભાઈ હેભાભાઈ બેરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત “એક નામ શહીદો કે નામ” લોક ડાયરા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યાર બાદ જામનગર જવા રવાના થશે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top