Saturday June 21, 2025

ખંભાળિયાના ચુડેશ્વર વિસ્તારમાંથી પરિણીત મહિલા લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫

      ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન સબીર હારુન બસર (રહે. બેડી – જામનગર) ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચૂડેશ્વર ગામે આવી હતી. ત્યારે તારીખ 25 મી ના રાત્રીના નવેક વાગ્યાથી તારીખ 26 ના સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન જરીનાબેન પોતાના ઘરેથી કોઈને કંઈક કહ્યા વગર જતી રહી છે. આ મહિલા ઘઉં વર્ણી અને મધ્યમ બાંધાની છે. આશરે પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઈ ધરાવતી આ મહિલાએ કેસરી જેવા કલરનો ડ્રેસ પહેર્યો છે.

        ઉપરોક્ત મહિલાનો પત્તો મળ્યે સલાયા મરીન પોલીસ મથકના મોબાઈલ નંબર ફોન નંબર 02833-285338 અથવા મોબાઈલ નંબર 63574 30480 અને તપાસનીસ અધિકારી એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયાના મોબાઈલ નંબર 97244 16444 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top