Friday June 20, 2025

ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫

       ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે.

         ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીને 134 મી જન્મ જયંતિ નિમિત્તે સોમવારે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં જામનગરના સંત શ્રી હરિબાપુ રાધે કૃષ્ણ તેમજ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહેશે.

        આ ઉપરાંત જિલ્લા કલેકટર, એસ.પી., પાલિકાના રિજિયોનલ કમિશનર, ડીવાયએસપી, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ, વિગેરેની હાજરીમાં યોજવામાં આવેલા વાલ્મિકી સમાજના આ કાર્યક્રમના આયોજન માટે સમસ્ત વાલ્મિકી સમાજના યુવાનો, કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. 

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top