Friday June 20, 2025

ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું

– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત – 

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫

       ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. 

        અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન મુજબ ખંભાળિયા નગરપાલિકા દ્વારા જુદી જુદી શાખાઓમાંથી નિવૃત થયેલા 18 જેટલા કર્મચારીઓને નગરપાલિકા દ્વારા કરકસર કરી અને 1 કરોડ જેટલી રકમના ચેક જુદા જુદા 18 જેટલા કર્મચારીઓને નગરપાલિકાના ચીફ ઓફિસર સી.બી. ડુડીયા, પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, દંડક મહેશભાઈ ધોરીયા, શાસક પક્ષના નેતા મુકતાબેન નકુમ તથા એકાઉન્ટન્ટ ધવલભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top