
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫
પ્રથમ હરોળના ગુજરાતી અખબાર “ગુજરાત સમાચાર”ના ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઈ શાહનું ગઈકાલે ગુરુવારે મોડી સાંજે નિધન તથા પત્રકારત્વની દુનિયામાં એક ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી અખબારી જગતના વિરલ સંચાલક અને નારી પ્રતિભા શ્રીમતી સ્મૃતિબેન શાહનું અવસાન થતાં અનેક વિતરકો, એજન્ટો તેમજ પત્રકારોએ પોતાના પરનું શિરછત્ર ગુમાવ્યું હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર તેમજ રાજ્ય સભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ ટ્વિટ કરી અને ગુજરાત સમાચાર પરિવારના શ્રીમતી સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ગુજરાત સમાચાર સાથે વર્ષો જુના પારિવારિક સંબંધો ધરાવતા પરિમલભાઈ નથવાણીએ સરળ અને હંમેશા ઉત્સાહી વ્યક્તિત્વ ધરાવતા શ્રીમતી સ્મૃતિબેન શાહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


(ફોટો:- કુંજન રાડિયા)