Saturday June 21, 2025

ગ્રહોની દુનિયા # લલિત રાજ્યગુરુ # આધિદૈવિક, આધિભૌતિક અને ત્રિવિધ તાપના શમન સાથે કૃપાપ્રાપ્તિ માટે મહાશિવરાત્રીમાં શિવ પૂજાનું મહત્વ

તા.26/2/2025 મહાવદ તેરસ ને બુધવારના રોજ મહા શિવરાત્રી છે.જે શિવપૂજા અને ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. દેવાધિદેવ આશુતોષ સદાશિવ મહાદેવની કૃપા અને પ્રસન્નતા માટે ઉત્તમ અવસર છે.

જીવનમાં કોઈપણ મુસીબત હોય તો તે દૂર કરવા માટે મહા શિવરાત્રી દર મહિનાની શિવરાત્રી શિવજી ની કોઈપણ ઉપાસના કરવી અથવા તો ૐ નમ: શિવાય પંચાક્ષર મંત્ર ની 21 અથવા દરરોજ 11 માળા કરવી ઉત્તમ ફળ આપનાર અને સિદ્ધિ આપનાર બનશે. મુસીબતો દૂર થશે મૃત્યુંજય મંત્રના જપ કરી શકાય છે.

ચાર પ્રહરની પુજા

મહા શિવરાત્રી ના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રી ના ચાર પ્રહરની પૂજા મહત્વની ગણાય છે. રાત્રી ના ચાર પ્રહરની પૂજા

(1)પહેલા પ્રહર:- મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન – ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમા સુખડી ધરાવવી
(2)બીજા પ્રહરની પૂજા:- મહાદેવજીને જળ ચડાવી બીલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.
(3)ત્રીજા પ્રહરમાં:- મહાદેવજીને દુધ તથા જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો અર્પણ કરવા તથા માલ પુવાનું નૈવેદ્ય ચૂરમાના લાડુ ધરવા..બિલિપત્ર અર્પણ કરવા.
(4)ચોથા પ્રહરે:- જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ઠાનનું નૈવેદ્ય ધરાવું.
શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મૂળ મા બ્રહ્મા મધ્ય વિષ્ણુ અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે .

ફળકથન
અલગ અલગ દ્રવ્યથી મળતું ફળ સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બિલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે ઘી થી, સર્વ મનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળ તલ, સુખી દામ્પત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબીટીસ જેવી બીમારી દુર ઓછી કરવા શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો તથા ધન પ્રાપ્તિ માટે શિવજીને બિલીપત્ર ચઢાવવા

રાશી પ્રમાણે શિવજીની પૂજા

(1)મેષ રાશી (અ,લ,ઇ):- શેરડીના રસ થી અભિષેક કરવો તથા સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
(2)વૃષભ રાશી (બ,વ,ઉ):- સાકરવાળા પાણી થી દુધથી અભિષેક કરવો પેંડાનું નેવેદ્ય ધરાવવું .
(3) મિથુન રાશી (ક, છ, ઘ):- કાળા તલથી તથા દુધ થી અભિષેક કરવો સકરીયાનો શીરો ધરાવવો.
(4) કર્ક રાશી (ડ, હ):- દુધથી તથા સાકરવાળા પાણી થી અભિષેક કરવો નૈવેદ્યમાં રાજગરાનો શિરો ધરાવવો.
(5)સિહ રાશી (મ,ટ):- ઘી તથા ચણા ની દાળ થી અભિષેક કરવો ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવૈદ્ય ધરાવવું.
(6)કન્યા રાશી (પ,ઠ,ણ):- મધ થી તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા દુધ પાક ધરાવવો.
(7) તુલા રાશી (ર,ત) :- શેરડી ના રસથી અભિષેક કરવો, દુધની મીઠાઈ ધરાવવી.
(8) વૃશ્ચિક રાશી ( ન,ય):- બીલીપત્ર તથા દુધ થી અભિષેક કરવો નૈવેદ્ય મા તલ ની વસ્તુ ધરાવવી .
(9) ધન રાશી (ભ,ફ્,ધ):- શેરડીનો રસ તથા સાકરવાળુ પાણી થી અભિષેક કરવો, નૈવેદ્યમાં અળદીયા ધરાવવા.
(10)મકર રાશી (ખ,જ):- કાળા તલથી અભિષેક કરવો, માલપૂવા ધરાવી શકાય.
(11) કુંભ રાશી (ગ,સ,શ):- કાળા તલ સાકરવાળુ જળ તથા મધથી અભિષેક કરવો, અડદીયા ધરાવવા.
(12)મીન રાશી (દ,ચ,ઝ,થ):- ઘી તથા દુર્વાથી તથા દુધથી અભિષેક કરવો નેવૈદ્ય મા પીળી મીઠાઈ ધરવી.

નિશીથ કાળ રાત્રે 12:27 થી 1:16 સુધી છે. આ સમયે પણ શિવજી ઉપર રૂદ્રી પૂજા અભિષેક કરાવી શકાય છે અને ઉત્તમ ફળ આપનાર છે

રાત્રીના ચાર પ્રહરની વિગત
પ્રથમ પ્રહર રાત્રે 6.53 થી 9.55
બીજો પ્રહર રાત્રે 10.55 થી 12.57
ત્રીજો પ્રહર રાત્રે 12.57 થી 3.59
ચોથો પ્રહર રાત્રે 3.59 થી 7.02 સુધી છે.
Lalitrajyaguru26@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top