મુકેશ પંડિત, ભાવનગર
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ભાવનગર જિલ્લા દ્વારા માનવ પરિવાર ટ્રસ્ટ મનોદિવ્યાંગ (મંદબુદ્ધિ) સંસ્થા ઘોડીઢાળ, પાલીતાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં રહેતા મનોદિવ્યાંગ લોકો સાથે કેક કાપી ઉજવણી કરવામાં આવી અને સાથે ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું
આ પ્રસંગે ઝોન સંયોજક મેહુલભાઈ ડોડીયા, જીલ્લા સંયોજક અભયસિંહ ચાવડા, પાલીતાણા તાલુકા પંચાયત પ્રમુખ જીગરભાઈ વાઘેલા, પાલીતાણા તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા, પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા તેમજ ભાવનગર જિલ્લાના દરેક તાલુકા અને શહેરના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા..