
પશ્ચિમમાં કુંભારવાડા સર્કલ અને પૂર્વમાં ઘોઘા સર્કલ ખાતે ભાજપી કાર્યકર્તાએ આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા
ભાવનગર
ગત શનિવારના રોજ દિલ્હી ખાતે ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા શહેર ભાજપ સંગઠને અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં કુંભારવાડા ખાતે તેમજ ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના વિસ્તારમાં શિવાજી સર્કલ ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયાં હતાં અને મીઠાઈ વહેંચીને, ફટાકડા ફોડીને તેમજ એકબીજાને અભિનંદન આપીને દિલ્હીના જવલંત વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ, બંને ધારાસભ્યશ્રીઓ જીતુભાઇ વાઘાણી અને શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઇ બારડ, મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ સહિત શહેર સંગઠન, સ્ટે.ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકશ્રીઓ, વડવા- બ વૉર્ડના ઉમેદવાર શ્રી અમરશીભાઈ, શ્રી અમોહભાઈ શાહ સહિત વરિષ્ટ આગેવાનો, તમામ વોર્ડનું સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં





.