– –
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫
દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં આગામી રવિવાર તા. 2 ના રોજ મહા સુદ પંચમીના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. જે સંદર્ભે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે.
તા. 2 ના સવારના દર્શન નિત્યક્રમાનુસાર યોજાશે. બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી યોજાશે. જે 2:30 વાગ્યા સુધી ઉત્સવ દર્શનનો લાભ ભાવિકોને પ્રત્યક્ષ તેમજ વિવિધ ઓનલાઈનના માધ્યમથી થશે.
જયારે સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન 5:30 વાગ્યે યોજાયા બાદ તમામ દર્શન નિત્યક્રમ અનુસાર યોજાનાર હોવાનું મંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે.
(