
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫
દ્વારકા શહેરમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળા પરિસરમાં આગામી શુક્રવાર તારીખ 7 ના રોજ દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝન જેઠાલાલ રાયઠઠ્ઠાની લગ્નની 50 મી લગ્ન તિથિ (એનિવર્સરી) નિમિત્તે સમસ્ત ઓખામંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજની ઊભી ધામ (સમૂહ પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.
– હાલારનું હીર જીતુભાઈ લાલનું કરાશે સન્માન –
આ કાર્યક્રમની સાથે હાલાર પંથકનું રઘુવંશી જ્ઞાતિ નું ગૌરવ જીતુભાઈ લાલ કે જેઓ તાજેતરમાં ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદે નિયુકત થયા છે તેમનું પણ ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવનાર છે. જેમાં ઓખામંડળ તથા બારાડી વિસ્તારની વિવિધ સંસ્થાઓ દ્વારા જીતુભાઈ લાલનું સન્માન કરવામાં આવશે.
– ગૌશાળા લાભાર્થે ભકિતરસનો કાર્યક્રમ –
દ્વારકા ખાતે યોજાનાર રઘુવંશી સમાજના મેળાવડાની સાથે ગૌશાળા પરિસરમાં ખંભાળિયાની ભકિતરસની ઝાંખી રૂડા શ્રીનાથજીના અલૌકિક દર્શન કરાવતાં વૈષ્ણવ સમાજના લોકગાયકો તેમના સાજીંદાઓના સથવારે ભકિતરસનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં એકત્રિત થનાર દાનની રકમ દ્વારકાની ગૌશાળાને અર્પણ કરવામાં આવશે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)