જામ ખંભાળિયા
દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, ‘તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?’- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આટલું જ નહીં, આરોપીએ બીભત્સ ગાળો કાઢી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ચુડાસમાએ હાથ ધરી છે.