
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫
દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ 21 મી થી રવિવાર તારીખ 27મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ જે. અત્રિ વ્યાસાસને બિરાજી અને તેમની સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.
સર્વે પિતૃઓના મોક્ષાર્થે યોજવામાં આવેલી આ ભાગવત સપ્તાહની જ્ઞાનગંગામાં આંતરશુધ્ધિ માટે દરરોજ રાત્રે 9 થી 12 સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)