જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫
દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર વરવાળા રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી જી.જે. 37 એચ. 9077 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ધનાભાઈ નાયાભાઈ રાઠોડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી અર્ટિગા કાર નંબર જીજે 23 સી.સી. 6398 ના ચાલકે ધનાભાઈના મોટરસાયકલને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા તેઓ રોડ પરથી ફંગોળાઈ ગયા હતા અને તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે દ્વારકામાં રુક્ષ્મણી નગર વિસ્તારમાં રહેતા હમીરભાઈ રાજાભાઈ ચાનપા (ઉ.વ. 35) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અર્ટિગા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
દ્વારકામાં વિપ્ર યુવાનનો મોબાઈલ ચોરાયો
દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પાસે રહેતા ચિરાગભાઈ જયકિશોરભાઈ ઉપાધ્યાય નામના 45 વર્ષના યુવાનનો રૂપિયા 45,000 ની કિંમતનો મોટોરોલા ફોન કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયા ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)