Friday June 20, 2025

નેશનલ હેરાલ્ડ કેસમાં પાંચ હજાર કરોડના ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર ભાજપે સુત્રોચાર અને પૂતળાં દહન કરીને વિરોધ કર્યો

.

૧૫ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ‘નેશનલ હેરાલ્ડ’ કેસના સંદર્ભમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સેમ પિત્રોડા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પાંચ હજાર કરોડના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા તા. ૧૭-૦૪-૨૦૨૫ અનેગુરુવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘોઘાચોક ખાતે હાથમાં ફ્લાયકાર્ડ પકડીને સુત્રોચાર કરીને, તેમજ પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા વિભાગની યાદી જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top