Saturday June 21, 2025

પોરબંદરમાં મગજની બીમારીના કારણે મહિલાનો આપઘાત

પોરબંદર
પોરબંદરના છાયા વિસ્તારમાં મગજની બીમારીના કારણે એક મહિલાએ અનાજમાં નાખવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલીબેન લખુભાઇ ઓડેદરા (ઉવ. ૬૦ રહે. છાયા બાલવીનગર પોરબંદર)ને ઘણા સમયથી મગજની બિમારી હોય તેનાથી કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જવાથી મરણ ગયા છે. તા.૧૧/૧૨/૨૦૨૪ના આશરે ૧૨/૦૦ પહેલા છાયા બાલવીનગર પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે સર ભાવસિંહજી હોસ્પિટલના ડો. નિરાલી ઓડેદરાએ પોલીસને જાણ કરતા કમલાબાગ પીએસઆઇ એમ એલ સોલંકી એ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top