પોરબંદર
પોરબંદરના છાયા વિસ્તારમાં મગજની બીમારીના કારણે એક મહિલાએ અનાજમાં નાખવાના ટીકડાં ખાઈને આપઘાત કરી લીધો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માલીબેન લખુભાઇ ઓડેદરા (ઉવ. ૬૦ રહે. છાયા બાલવીનગર પોરબંદર)ને ઘણા સમયથી મગજની બિમારી હોય તેનાથી કંટાળીને અનાજમાં નાખવાના ટીકડા ખાઇ જવાથી મરણ ગયા છે. તા.૧૧/૧૨/૨૦૨૪ના આશરે ૧૨/૦૦ પહેલા છાયા બાલવીનગર પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે સર ભાવસિંહજી હોસ્પિટલના ડો. નિરાલી ઓડેદરાએ પોલીસને જાણ કરતા કમલાબાગ પીએસઆઇ એમ એલ સોલંકી એ તપાસ હાથ ધરી છે.