Saturday June 21, 2025

પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું નિધન થતાં ભાવનગર શહેર ભાજપે શોક વ્યક્ત કર્યો

ભાવનગર
ગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહનું ૯૨ વર્ષની ઉંમરે નિધન થતા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પિ હતી. શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વ. મનમોહનસિંહજીનું મૃત્યુ થતાં દેશે એક સારા અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે, તેમજ ભારતના રાજકારણના એક યુગનો અંત આવ્યો તેવું કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top