આંધ્રપ્રદેશના લક્ષ્મણનારાવને જેટી પર ચક્કર આવતા પાણીમાં પડી ગયા: ઝાખરપાડાના રાણાભાઇ બોટમાં કામ કરતા કરતા અકસ્માતે પાણીમાં પડી ગયા
પોરબંદર
પોરબંદરના દરિયામાં અકસ્માતે પડી જવાને કારણે બે માછીમારોના મોત થવાની ઘટના સામે આવી છે જેમાં એક આંધ્રપ્રદેશના વતની માછીમાર જેટી ઉપરથી ચક્કર આવવાને કારણે પાણીમાં પડી ગયા હતા જ્યારે બીજા એક બનાવવામાં ઉના તાલુકાના ઝાખરપાડા ગામના રાણાભાઇ બોટમાં કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે પાણીમાં પડી ગયા હતા.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તા. ૩૧/૧૨/૨૦૨૪ના ૧૬/૦૦ વાગ્યાના અરશામાં પોરબંદર જેટી ઉપર બનેલી એક ઘટનામાં લક્ષ્મણનારાવ કાંડી (ઉ.વ.૪૮ રહે.પોરબંદર મુળ રહે. આંધ્રપ્રદેશ)ને અચાનક ચક્કર આવતા તેઓ બોટમાંથી દરિયાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડુબી જવાથી મરણ ગયા હતા. આ અંગે તા.1 જાન્યુઆરીના રોજ અપારામ લક્ષ્મીયા બેડી અપારામ (ઉ.વ.૫૪ ધંધો- ખલાશી રહે.હાલ પોરબંદર લકડીબંદર પોરબંદર મુળ રહે.આંધ્રપ્રદેશ)એ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.
આ ઉપરાંત બીજા એક બનાવમાં તા.૧૨/૧૨/૨૦૨૪ના ૧૧/૫૦ વાગ્યાના અરસામાં લકડી બંદર બોટમાં બનેલી એક ઘટનામાં રાણા પાલાભાઇ સોલંકી (ઉ.વ.૫૨ રહે.ઝાખરપાડા તા.ઉના જી.ગીરસોમનાથ) બોટમાં કામ કરતી વખતે અકસ્માતે બોટમાંથી પડી જતા માથામાં ઇજા થતા સારવાર દરમ્યાન મરણ ગયા હતા. આ અંગે તા એક જાન્યુઆરીના રોજ નરસી રાણા સોલંકી (ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે.ઝાખરવાડા તા.ઉના જી.ગીરસોમનાથ)એ પોલીસને જાણ કરી હતી.
આ બંને કેસની તપાસ હાર્બર મરીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે વાઘેલા ચલાવી રહ્યા છે.